
લેખન તારીખ: 2 ઑગસ્ટ, 2025
દશામાં દસ દિવસ કયારે પુરા થઈ જાય છે,
એ ભાવિક ભક્તો ને ખબર નથી પડતી,ઘર માં ખુબ જ ખુશી,ઉલ્લાસ,ગરબા,આરતી,ધુપ,દિપ ઘર નુ વાતાવરણ ખુબ જ આંનદ પ્રમોદ હોય છે અને મન ને એક અલગ શાંતિ નો પણ અનુભવ થાય છે,પરંતુ જ્યારે માતાજી નો વિદાય નો દિવસ આવે અટલે,હ્ર્દય માં એક દુ:ખ ની વેદના ઉદ્ભભવે છે અને માં ક્યારે વિદાય આપવા ની ઈચ્છા નથી થતી.
એક કેહવત પણ છે કે જો તમે માં દશા માના વ્રત ભાવ-ભકતિ થી કરશો તો માં દશા માં તમારી દશા સુધાર છે.રંક માં થી રાજા કયારે બનવી દેશે એ કોઇ જણતુ નથી.
દશા માતાજી વિદાય સમયે શું કરવું જોઈએ?
1. સ્નાન કરીને પવિત્રતા જાળવો
વિદાયના દિવસે વહેલી સવારથી જળસ્નાન કરો અને લાલ અથવા સફેદ રંગના શુદ્ધ વસ્ત્ર પહેરો. ઘરમાં પવિત્ર માહોલ બનાવો.
2. અંતિમ પૂજન અને આરતી કરો
- દીવો, ધૂપ, ફૂલ, અક્ષત, નૈવેદ્ય ધરાવો
- માતાજીની આરતી ગાવો:
👉 “જય દશામા દિન દયાળુ…” - અંતે કંકુથી માતાજીને તિલક કરો અને શાંતિપૂર્વક વિદાય માટે સંકલ્પ કરો.
3. વિદાયના શુભ શબ્દો કહો
“માતા, આપનું અમુલ્ય આશીર્વાદ અમ્ને હમેશા આપતા રેહજો અને વેલા વેલા ફરી અમારા ઘરે પધારજો, અમારા ઘરમાં સુખ શાંતિ રાખજો.” – એવા શબ્દોથી ભાવપૂર્વક વિદાય આપો.
4. પ્રસાદ વહેંચવો
મિત્રો, પાડોશી અને ભક્તોમાં નારિયેળ, લાડવા, મીઠાઈ અને ફળોના રૂપમાં પ્રસાદ વહેંચો.
5. પાલકી અથવા ઘોડાની વિધિથી વિદાય
ઘણાં ઘરોમાં ઘોડો કે લાકડાની પાલકીમાં માતાજીનું વિસર્જન થાય છે. ભક્તિભાવથી “દશા મા ભજન” ગાઈ વિદાય આપો.
6. વિસર્જન સ્થળે નમન કરો
વિસર્જન બાદ હાથ જોડીને નમન કરો, માથું ઝુકાવો અને માં ના આશીર્વાદ મંગવા.
દશા માં ના વિદાય સમયે શું ન કરવું જોઈએ?
-
વિનોદ કે મજાક ન કરો
વિદાય એ ભાવનાત્મક ક્ષણ છે – મૌન અને શાંતિ જાળવો. -
માસાહાર ન લેવો
સાત્વિક ભોજન લો, અમુક ઘરોમાં ઉપવાસ પણ રાખે છે. -
ઘરમાં ઝઘડો કે ગુસ્સો ટાળો
ઘરમાં શાંતિ અને ભક્તિનો માહોલ જાળવો. -
પીઠ ફેરવીને વિસર્જન ન કરો
વિદાય સમયે હંમેશા મોં માતાજી તરફ રાખો. -
માલા, ચુંદડી પાછી ન લવો
જે ચઢાવેલું હોય તે શ્રદ્ધાથી વિસર્જિત કરો, પાછું ન લાવવું.
અંતિમ શુભકામના:
“દશા માતાજી, આગામી વર્ષે વધુ શક્તિ અને આશીર્વાદ સાથે પધારજો!”
આ માહીતી આપ ને કામ આવી હોય તો કોમેંટ કરજો,આપ નો ખુબ ખુબ આભાર
સાર્વત્રિક શુભ મુહૂર્ત (2 ઓગસ્ટ, 2025 – શનિવાર)
🔹 તારીખ: 2 ઓગસ્ટ, 2025
🔹 વાર: શનિવાર
🔹 પંચાંગ મુજબ શુભ મુહૂર્ત (ગુજરાત માટે):
-
સવાર: 07:10 થી 09:30 (સૌથી ઉત્તમ)
-
બપોર: 12:15 થી 01:45 (મધ્યાહ્ન પૂજા માટે)
-
સાંજ: 05:10 થી 06:40 (વિદાય માટે ખૂબ શુભ