ગુસ્સો એ વિનાશ નું મુળ છે

ગુસ્સા થી જીવન સૌથી મહત્વ ના પાંચ તત્વ ગુમાવો છો

શેઠ અને નોકર

૧)પ્રસન્ન્તા.

૨) પ્રેમ.

૩)પુણ્ય.

૪)પ્રરમાત્મા.

 કેમ અને કેવી રીતે એ સમજીયે.

એક સમયની વાત છે, એક શેઠ અને નોકરની વાર્તા છે. બંને વચ્ચે ખુબ જ અતૂટ વિશ્વાસ હતો અને તેનો નોકર ખુબ જ ઈમાનદારીથી કામ કરતો અને ખુબ જ શેઠને સોનીની જ્વેલરી દુકાન હતી. શેઠ દુકાનમાં હોય કે ના હોય, એમનો નોકર બધું જ કામ સંભાળી લેતો, બધું જ બરાબર ચાલતું હતું.

એક સમયે શેઠને બહાર જવાનું થયું. પાંચથી દસ દિવસ માટે બહાર જવાનું થયું અને નોકરને દસ દિવસ દુકાન સંભાળવાનું થયું. અને શેઠનો છોકરો પણ મોટો થઈ રહ્યો હતો, સાથે સાથે એ પણ દુકાન આવવાનું ચાલુ કર્યું. શેઠને થયું – ચાલો, મારો છોકરો એની જાતે જ પોતાની જવાબદારી સંભાળી લીધી, મારે હવે ચિંતા કરવાની જરૂર નથી. અને શાંતિથી એ ધંધાના કામથી બહાર ગયા.

આ બાજુ નોકર અને શેઠનો છોકરો દુકાનની સારી સંભાળ રાખવા લાગ્યા. દસ દિવસ પછી આવ્યા તો દુકાનનું કામકાજ બધું બરાબર લાગતું હતું. પણ શેઠનો છોકરો તો હવે શેઠનો શેઠ થઈ ગયો હોય તેમ લાગી રહ્યું હતું. થોડા દિવસ પછી જ્યારે શેઠએ પૈસાની તિજોરી ખોલી અને પૈસાની ગણતરી કરી એટલે એને કઈક ગડબડ લાગી, પણ કોઈને કઈ કહ્યું નહીં.

 

એક બાજુ નોકરના ઘરે થોડા જ દિવસમાં એમના છોકરાનો બાબરીનો પ્રસંગ હતો. એટલે નોકરે શેઠને બે દિવસની રજા માંગી હતી અને શેઠને પોતાના છોકરાના બાબરી પ્રસંગમાં આવવા માટે આમંત્રણ પણ આપ્યું. અને શેઠ રાજીથી હા પાડી દીધું.

શેઠએ નોકરને પૈસા પણ આપ્યા કે – “લે, તારે પ્રસંગમાં કઈ અટકે નહીં, અને બીજું પણ કઈ કામકાજ હોય તો કહી દે.” આ બધું એનો છોકરો જોઈ રહ્યો હતો.

નોકર ઘરે પ્રસંગનો દિવસ હતો. શેઠનું આખું પરિવાર નોકરના ઘરે આવ્યું અને નોકરનો પ્રસંગ જોઈને એમ થયું કે નોકરે તો બહુ જ ખર્ચ કર્યો છે. શંકાની શરૂઆત થઈ ગઈ અને શેઠને ઘરે ગયા પછી ઊંઘ ના આવી. વિચારી રહ્યો – પૈસાની તિજોરીમાંથી જે પૈસા ગયા એ કદાચ નોકરે તો લીધા નથી ને? આખી રાત શેઠને ઊંઘ ના આવી.

સવારે શેઠ નોકરની રાહ જોઈ રહ્યા હતા, પણ એ દિવસે નોકર દુકાન આવ્યો નહીં. આ બધું જોઈને શેઠના છોકરાએ પૂછ્યું –
“પપ્પા, શું થયું? શું વિચારી રહ્યા છો? કોઈ ચિંતા છે તો મને કહો.”

અને શેઠથી સહન ન થયું અને એણે પોતાના છોકરાને કહી દીધું. ત્યારે છોકરાએ કહ્યું –
“પપ્પા, એક વાત કહું, તમે ગુસ્સે ના થશો. જ્યારે તમે બહાર ગામ ગયા હતા ત્યારે નોકરે એક વખત પૈસા લેતા મેં એને જોયો હતો. પણ મેં તમને કહ્યું નહોતું. કદાચ મને થયું કે તમે એને કહ્યું હશે.”

આ સાંભળીને શેઠની સહનશીલતાનો બાંધ પુરો થતો ગયો. કેમ કે – એક તો બે દિવસનું કહીને નોકર આવ્યો નહીં અને બીજું નોકરે પોતાના ઘરે ધર્યા કરતા વધારે ખર્ચ કર્યો તેવું શેઠને દેખાઈ રહ્યું હતું. એટલે શેઠને થયું કે કાલે નોકર આવે એટલે જ વાર. શેઠનો મગજ તો સાતમા આસમાને ચઢી ગયો હતો.

જેવો નોકર સવારે આવ્યો, ત્યારે આવતા જ શેઠ ગુસ્સેથી બોલવા લાગ્યા –
“તું ચોર છે, તું મારો વિશ્વાસ તોડી નાખ્યો છે. મેં તારા પર આટલો વિશ્વાસ કર્યો, તો પણ તું આવો નીકળ્યો.”

શેઠએ નોકરને કશું જ બોલવા દીધું નહીં અને નોકરને કઈ પણ બોલવા વગર ત્યાથી કાઢી મુક્યો. અને નોકર કઈ પણ બોલ્યા વગર ત્યાથી ચાલ્યો ગયો.

આ બધું જોઈને એનો છોકરો ખુશ થઈ રહ્યો હતો. હવે જે થવાનું હતું તે થઈ ગયું. પણ શેઠને મન માનતું નહોતું કે મારો નોકર આવું કરી શકે. પણ એ સમય જતો રહ્યો.

શેઠ ફરી પોતાની દુકાન અને પોતાનું કામ રાબેતા મુજબ ચાલુ કરી દીધું.

થોડા મહિના પછી શેઠનો છોકરો કોઈ બજારૂ કામ કરતી યુવતી સાથે લગ્ન કરીને અચાનક ઘરે આવી ગયો. અને એ સ્ત્રીને આખું ગામ જાણતું હતું કે આ સ્ત્રી કેવી છે. પણ એનો છોકરો તો એની સુંદરતામાં ખોવાઈ ગયો હતો.

શેઠના જીવનમાં તો દુઃખનો પહાડ તૂટી પડ્યો. પણ શેઠ ગુસ્સે આવીને છોકરાને ઘર ની બહાર જવાનું કહ્યું. પણ છોકરાએ એની વાત ના માની. અને શેઠને કહી દીધું –
“તમારે જ ઘરે ની બહાર જવું પડશે, હું નહીં. તિજોરીના બધા પૈસા મારા છે, હવે તમારી પાસે કઈ નથી.”

આ સાંભળી શેઠને ભાન થયું કે – મેં આટલા વર્ષથી મારી સાથે કામ કરતો નોકર પર આરોપ મૂકીને બહુ મોટી ભૂલ કરી છે. અને કદાચ એના કારણે જ મને ફળ ભોગવવાનો વારો આવ્યો છે.

માટે જ શેઠની પ્રસન્નતા ગઈ,
નોકરનો પ્રેમ ગયો,
એણે કમાયેલું પુણ્ય ગયું,
અને પરમાત્મા જેવો એનો નોકર હતો, એ પણ એને ગુમાવ્યો.

કદાચ જો તેમણે ગુસ્સો કરવા બદલે એ નોકરની વાત સંભાળી હોત, તો કદાચ આ નોબત ન આવી હોત.

સંબંધોનો વિનાશ

ગુસ્સો એ એક એવી આગ છે જે સૌથી મજબૂત સંબંધોને પણ બાળી શકે છે. ગુસ્સામાં બોલાયેલા કડવા શબ્દો, ક્યારેક ઉતાવળિયા નિર્ણયો કે અવિચારી વર્તન લાંબા ગાળે સંબંધોમાં તિરાડ પાડી શકે છે. પછી ભલે તે પરિવાર હોય, મિત્રતા હોય કે વ્યાવસાયિક સંબંધો, ગુસ્સો વિશ્વાસ અને સન્માનને નષ્ટ કરે છે. એકવાર તૂટેલો વિશ્વાસ પાછો મેળવવો અત્યંત મુશ્કેલ છે.

શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને નુકસાન

ગુસ્સો માત્ર લાગણી નથી, પણ તે શરીર પર પણ નકારાત્મક અસર કરે છે. વારંવાર ગુસ્સો કરવાથી શરીરનું તંત્ર અસંતુલિત થાય છે, જેનાથી હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ, સ્ટ્રોક, અને પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. માનસિક રીતે, ગુસ્સો ચિંતા, તણાવ અને ડિપ્રેશનનું કારણ બની શકે છે. તે વ્યક્તિની વિચારવાની અને નિર્ણય લેવાની ક્ષમતાને પણ નબળી પાડે છે, જેનાથી જીવનમાં અસફળતાનો સામનો કરવો પડે છે.

કારકિર્દી અને ભવિષ્ય માટે જોખમ

વ્યાવસાયિક જીવનમાં પણ ગુસ્સો એક મોટો અવરોધ છે. ગુસ્સાવાળી વ્યક્તિ ટીમમાં કામ કરી શકતી નથી, તેના સહકર્મીઓ સાથેના સંબંધો ખરાબ થાય છે અને તે વ્યાવસાયિક નિર્ણયો લેવામાં ભૂલો કરે છે. આના કારણે નોકરી ગુમાવવી, પ્રમોશન ન મળવું કે વ્યવસાયમાં નુકસાન થવું જેવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે.

કાનૂની અને સામાજિક પરિણામો

ઘણીવાર ગુસ્સાના આવેગમાં લોકો એવા કાર્યો કરી બેસે છે જેના ગંભીર કાનૂની પરિણામો આવે છે. જેમ કે, ઝઘડા, મારપીટ કે સંપત્તિને નુકસાન પહોંચાડવું. આવા કૃત્યો વ્યક્તિના સામાજિક જીવન અને પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચાડે છે.

ટૂંકમાં, ગુસ્સો એ એક વિનાશક શક્તિ છે. તે માત્ર એક ક્ષણની લાગણી નથી, પરંતુ તેનાથી થતું નુકસાન લાંબા સમય સુધી રહે છે અને જીવનના અનેક પાસાઓને પ્રભાવિત કરે છે. તેથી, ગુસ્સાને નિયંત્રિત કરવો એ સુખી અને સફળ જીવન માટે આવશ્યક છે. આ ગુસ્સાને શાંત પાડવા માટે યોગ, ધ્યાન, કે પછી કાઉન્સેલિંગ જેવી પદ્ધતિઓ અપનાવી શકાય છે.

1 thought on “ગુસ્સો એ વિનાશ નું મુળ છે”

Leave a Comment