પર્યાવરણ આપણા જીવનનો આધાર છે, છતાં સતત પ્રદૂષણ, ખનન અને ગેરવ્યવસ્થાના કારણે ધરતી પર ગંભીર ખતરા ઊભા થઈ રહ્યા છે. પાણી, હવા અને જમીન — આ ત્રણ કુદરતી તત્ત્વો આપણને મફતમાં મળ્યા છે, એટલા માટે કદાચ આપણે તેની કદર નથી કરતા. જો સમયસર પગલા લેવામાં નહીં આવે તો આવનારી પેઢીઓ માટે જીવવું અશક્ય બની જશે.